(અ) નીચેના ફકરાને ૧/૩ ભાગમાં સંક્ષેપ ક
પશ્ચાતાપ એ એક કિમતી ધર્માનુભવ છે, જે વાસણ માટી કે રાખથી સાફ થતાં નથી. તે તેજાબથી સાફ
થાય છે ને કાટ બધો ઓગળી જાય અને વાસણ ચળકવા માંડે, તેમ ધર્મ જીવન પર બાઝેલી શિથિલતા
પશ્ચાતાપથી દૂર થઈ જાય છે. માણસમાં એકાએક પલટો જોવા મળે છે.ખરેખર પથ્થતાપની અસર
તેજાબથી ઓછી નથી.સૃષ્ટિ માટે ને એમાય જીવન માટે પશ્ચાતાપ ઇશ્વરનું મંગલ અને પવિત્ર આયોજન
છે.માણસની વૃતિ તેને અપવિત્ર કામ માટે પ્રેરે છે તો પ્રાયશ્ચિત તેને સદભાવના તરફ પ્રેરે છે.
પશ્ચાતાપ પછી મનુષ્ય ઈશ્વરની અનહદ કૃપાની અનુભૂતિ કરે છે. આ દિવ્ય આયોજનથી જીવન ઉન્નત
શિખરો સુધી પહોચે છે તેની દિવ્યતા માણસના ચહેરા પર ચળકાટ જેવી દેખાય આવે છે.